કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ, બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેકી , બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા..

વરાછા વિસ્તારમાં એક પરિવારમાં કેન્સરની બીમારીથી આવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતા માત્ર 48 કલાકમાં આ પરિવારને 20 લાખથી વધુ રકમની સહાય મળી છે . પુણાથી યોગી ચોક તરફ જતાં ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા સાવલિયા પરિવારના પ્રકાશભાઇ રવજીભાઈને છેલ્લા 11 મહિનાથી કેન્સરની બીમારીમાં સપડાયા છે . તેમની બીમારીમાં રીકવરી મુશ્કેલ છે . પરિવારમાં તેમને માત્ર ત્રણ દીકરીઓ જ છે . પરિવારમાં તેમની બીમારીના કારણે આવક પણ બંધ થઇ જતા સોસાયટીમાં રેહતા મનસુખભાઇ કાસોદરિયા , સુરેશભાઇ કથીરિયા અને મહેશભાઇ ભુવાએ તેમના પરિવારને યથાશક્તિ મદદ કરવાનું વિચાર્યું હતું .

મનસુખભાઇએ જણાવ્યું હતું કે અમે વારંવાર આદિવાસી ‘ વિસ્તારોમાં અને મંદબુદ્ધિના આશ્રમોમાં આર્થિક સેવા કરવા જતા પંરતુ , ઘર આંગણે એક પરિવાર આટલો બધો પરેશાન થતો હોય તો પહેલી તેને મદદ કરવી જોઇએ . આવું વિચારી અમે તેમના પરિવારને મળ્યા હતા . આ સાથે જ એક વિચાર આવ્યો કે આપણે સોશિયલ મીડિયાના ગૃપમાં બીજા મિત્રોને રીક્વેસ્ટ કરવાનું વિચારી વોટસએપ અને ફેશબુકમાં મેસેજ વાયરલ કરતાં અનેક દાતાઓએ બીડું ઝડપી લીધું .

સો રૂપિયાથી લઇને લાખ રૂપિયા સુધીની મદદ શહેર ઉપરાંત અન્ય શહેરો અને વિદેશમાંથી પણ સહાયનો ધોધ વહેવા લાગ્યો . માત્ર 48 કલાકમાં જ 20 લાખથી વધુ રકમ એકત્ર થઇ જતા દર્દીને તો બીમારીમાંથી બચાવવા મુશ્કેલ છે પરંતુ તેમના પત્ની અને ત્રણ દીકરીઓ માટે આ સહાય મોટો આધાર બનશે .

મીત્રો ગઇકાલે આપણે જે પોસ્ટ મુકી સાવલીયા પ્રકાશ ભાઇ રવજી ભાઇ જે કેન્સરની બીમારીથી પીડાય છે. એમના માટે બધા સમાજ તરફથી બહુ જ સહાય અને સહકાર મળેલ છે તો આ તમામ ના ખૂબ ખૂબ આભારી છીએ પરમ કૃપાળુ પરમાત્મા સર્વને નિરોગી રાખે અને તેમના પરિવાર ને ખૂબ સુખ અને સંપત્તિ આપે તેવી અખંડ બ્રહ્માંડ ના અધિપતિ ને અમારા પરિવાર અને અમારા જે મિત્રો કે તેમના માધ્યમથી અમોને માર્ગદર્શન આપનાર એવા મનસુખભાઈ ડી. કાસોદરીયા તથા સુરેશભાઇ કથીરિયા તથા મહેશભાઈ ભુવા (શ્રી સમસ્ત લેવા પટેલ સમાજ પેજ ચલાવે છે) તરફથી તમામ દાતાશ્રીઓનો અને સેવાભાવી અનેક સંસ્થાઓ નો આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ સોશિયલ મીડિયા ગ્રુપ અને સમસ્ત લેવા પટેલ પેજ ચલાવનાર અને ભગવતી કૃપા પરિવારનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

મિત્રો એક વ્યક્તિ આખી દુનિયા ના બદલી શકે પણ એક પરિવારની જિંદગી જરૂર બદલી શકે તો તમામ દાતાશ્રીઓના અમે ઋણી છીએ તેઓનો અમે હૃદયથી આભાર માનીએ છીએ.

નમ્ર વિનંતી સાથે ખાસ જણાવવાનું કે સમસ્ત સમાજ અને સંસ્થાઓને જણાવવાનું કે અમોને આશા હતી એના કરતાં પણ વધારે દાનની રકમ મળેલ છે. તો હવે કોઈ પ્રકારની રાહત કે રોકડ તથા બેંક ટ્રાન્સફર નહીં કરવા વિનંતી બીજું કે જ્યાં આવી જ રીતે જરૂરિયાત છે એવો ને આપવા વિનંતી.

અમોને સહકાર આપનાર તમામ લોકો નો અમે આભાર માનીએ છીએ.

લી. કમલેશ ભાઈ સાવલિયા
(મો : ૯ ૪ ૨ ૯ ૮ ૬ ૭ ૧ ૪ ૫)
મુકેશભાઈ સાવલિયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો