ભગવાન જગન્નાથનો મહા જળાભિષેક, 108 પારંપરિક કળશ, ધજા-ડંકા અને છત્ર સાથે નીકળી જળયાત્રા

જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થયો છે. સવારે 8 વાગે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થયો હતો. જળયાત્રામાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ તેમ જ ધજાપતાકા સાથે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા. શરણાઈઓના સૂર સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો.જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરેથીવૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતીનું પવિત્ર જળ 108 કળશમાં ભરી નિજમંદિર પરત ફરી.

જળયાત્રા સાથે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ.
.

જગન્નાથજીની 140મી રથયાત્રા અષાઢ સુદ બીજ તા. 4-7-2019નાં રોજ નિકળશે. રથયાત્રા પૂર્વે અતિ મહત્ત્વપૂર્ણ ગણાતી જળયાત્રા જેઠ, સુદ પુનમના દિવસે સવારે મહંત દિલીપદાસજી મહારાજનાં સાનિધ્યમાં નિકળી હતી. 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહા જળાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજીનાં ગજવેશ શણગારનાં દર્શન કરવા આવે છે.

બેન્ડવાજા, હાથી, બળદગાડા, ઢોલ-નગારાં સાથે ભગવાન જગન્નાથની જળયાત્રાનો નીકળી હતી.

જગન્નાથ મંદિરેથી નીકળેતી આ જળયાત્રામાં ૧૪ જેટલાં ગજરાજો ઉપર કળશ તેમજ ૧૦૮ પારંપારિક કળશ અને ૧૦૦૮ મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં જોડાય છે. આ ઉપરાંત ૫૦૧ લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી તેમજ ૫૧ લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે, ૧૦ જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ, ભજન મંડળીઓ, રાસ ગરબા મંડળીઓ સાથે મહંત શ્રી સંતો અને ભકતો સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના ઘાટે નદીમાંથી જળ ભરી અને પૂજા કરી.

આ પૂજા બાદ કળશમાં જે જળ લાવવામાં આવે છે તેનાથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રનો મહા જળાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ ભગવાનને વિશિષ્ટ પ્રકારના વસ્ત્રથી અલંકૃત કરવામાં આવશે અને તે વિશિષ્ટ રૂપમાં ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે અને તેથી જ તેમને દર્શનને ગજવેશ કહેવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને તેમના મામાનાં ઘરે સરસપુર ખાતે જશે જેનાં કારણે મંદિરમાં ૧૫ દિવસ સુધી વિગ્રહ રહેશે અને ભગવાનના દર્શન નહીં થઈ શકે.

વર્ષમાં 1 વાર ભગવાન ગજવેશમાં દર્શન આપે છે:

એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીના બદલે જગન્નાથજીનાં દર્શન થતાં તેને લાગ્યું કે, તેઓ ભગવાન ન હોઈ શકે અને તેથી તેણે અન્નજળનો ત્યાગ કર્યો. જ્યારે જ્યેષ્ઠાભિષેક થયો ત્યારે તેને ગણેશનાં દર્શન થયાં, ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો