ભૂલથી પણ બાફેલા બટાકાનું પાણી ફેંકશો નહીં, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે, જાણો અને શેર કરો

તમામ જાતના બટાકા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર પચે તેવા અને રક્તપિત્તને મટાડનાર છે. બળ આપનાર અને વીર્યને વધારનાર છે. બટાકામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, ફોસ્ફરસ, પોટેશિયમ, ગંધક, તાંબુ અને લોહ ઓછાવત્તા પ્રમાણમાં છે. તેમાં વિટામિન એ અને સી પણ થોડા પ્રમાણમાં છે.

બટાકામાં હોય છે આ નુકસાનદાયી ચીજો
બટાકા ભારે, રુક્ષ, માંડ પચે તેવા અને કફ તથા વાયુ કરનાર અને અલ્પ પ્રમાણમાં અગ્નિને વધારનાર છે.

આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજી

એકલા બટાકા તેમજ બીજાં અનેક શાક સાથે તેનું મિશ્રા શાક થાય છે. કાંદા-બટાકાનું કે રીંગણાં-બટાટાનું મિશ્રા શાક સ્વાદિષ્ટ બને છે. તેમાં રીંગણાં-બટાટાના મિશ્રાણમાં એક વિલક્ષણ સ્વાદ હોય છે.
 
વૈજ્ઞાનિક મત પ્રમાણે બટાકાની છાલ કાઢી નાખવાથી તેની સાથે કેટલાંક પોષકતત્ત્વો ચાલ્યાં જાય છે. બટાકા બાફતાં વધેલા પાણીમાં પણ પ્રજીવક તત્ત્વો- વિટામિનો હોય છે. તેથી એ પાણી ફેંકી ન દેતાં તેને બીજાં શાક કે દાળમાં મેળવી લેવું જોઈએ.
 
મંદાગ્નિવાળાએ, ગેસના કે મધુપ્રમેહના દર્દીએ તેમ જ માંદા માણસોએ બટાટા ખાવા હિતાવહ નથી.
 
આફરો, વાત પ્રકોપ, મળાવરોધ, ખૂજલી, ત્વચા રોગ, પ્રમેહ, અપચો અને ઉદરકૃમિ એ રોગથી પીડાતા રોગીઓએ બટાકા ઓછી માત્રામાં ખાવા જોઈએ

છાલ સાથે બટાકાને બાફતા જે પાણી રહે તે આમવાતમાં (પિત્ત પ્રકૃતિમાં)પીવામાં આવે છે. દાઝેલી ચામડી ઉપર બાફેલા બટાકા મસળીને બાંધવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો