ઉત્તર ગુજરાતમાં 4.5ની તિવ્રતાનો ભૂકંપ, પાલનપુર નજીક એપીસેન્ટર

આજે રાત્રે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકોએ ભૂકંપના આંચકાઓનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત અરવલ્લી, સાબરકાંઠા અને અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપના આંચકાને લીધે લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી આવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાય ગયો […]

નીટ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતની શ્રેયા ગાબાણીએ ઝળહળતી સફળતા મેળવી

મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની શ્રેયા ગાબાણીએ ઓલ ઈન્ડિયા લેવલે 68મું સ્થાન પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. ડોક્ટર પિતાની દીકરી શ્રેયાને દિલ્હીમાંથી એમબીબીએસ કરીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધો. 11થી તૈયારી શરૂ કરેલી મૂળ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામની વતની અને […]

જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય તો બસ એક ફોન કરો, તમારા ઘરે આવીને વૃક્ષ વાવી જશે. બસ, લોકો વૃક્ષો વાવે: વિજય ડોબરિયા.

જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય અને તમે રાજકોટ શહેરને હરીયાળુ બનાવવામાં તમારુ યોગદાન પણ આપવા માંગત હોય તો તમે પણ આ કામ સરળતાથી કરી શકો છે. તમારે ફક્ત એક ફોન કરવાને રહેશે એટલે સ્વંયસેવકો તમારા ઘર આંગણે તમને મન ગમતુ વૃક્ષ વાવી જશે. એટલું નહીં પણ વૃક્ષનાં રક્ષણ માટે લોખંડનું એક પિંજરુ પણ આપશે. […]

આ દીકરો 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડી ભારત ભ્રમણ કરાવી રહ્યો છે

કર્ણાટકમાં મા-દીકરો ભારત ફરવા માટે દુનિયાદારીની ચિંતા કર્યા વગર સ્કૂટર લઈને નીકળી પડ્યા છે. મૈસૂર ગામના રહેવાસી 40 વર્ષીય ડી. કૃષ્ણા તેની 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડીને આખા ભારતનું ભ્રમણ કરાવી રહ્યા છે. સોમવારે રાત્રે તેઓ સત્સંગ નગર 38,475 કિલોમીટરની યાત્રા કરીને સ્થાનિક લોકોને મળ્યા હતા. ભારત દર્શન ડી. કૃષ્ણાએ કહ્યું કે, ચાર વર્ષ […]

કચ્છના નાના રણમાં મીઠા ઝરા નીકળ્યા, દુષ્કાળના સમયમાં ઢોરઢાંખર માટે રણમા મીઠું પાણી આશીર્વાદરૂપ

સમી તાલુકાના ગોધાણા બાબરી અને ચાંદરણી ગામની દક્ષિણ દિશામાં આવેલા વેરણ ખારા રણમાં કુદરતી મીઠું પાણીના ઝરા વાટે મીઠું પાણી નીકળતા આજુબાજુના ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા છે. બાબરી ચાંદરણી ગ્રામજનોએ ટ્રેક્ટરો માં બેસી જઈ નીકળતા પાણી ના ઝરા ઓના વહેણને વધામણા કરી ધ્વજારોહણ કરી પાણીના વધામણા કર્યા હતા. દુષ્કાળના સમયમાં ગામમાં લોકોને મીઠું પાણી […]

વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે તક્ષશિલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 22 બાળકોની કાયમી યાદગીરી રૂપે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

કતારગામમાં વિદ્યાર્થીઓની યાદ જીવંત રાખવા માટે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિદ્યાર્થીઓને વૃક્ષો થકી જીવિત કરાશે. તક્ષશિલા એપાર્ટમેન્ટ માં લાગેલી આગને કારણે 22 જેટલા વિદ્યાર્થીઓ નું મૃત્યુ થયું હતું. તેઓને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે કતારગામ પણ પાછળ રહ્યુ નથી. વિદ્યાર્થીઓના નામે વૃક્ષો વાવવામાં આવ્યા હતા દેશી કુળના ઝાડ જેવા કે લીમડો ,પીપળો ,બોરસલ્લી, […]

જો અને તો ની વચ્ચે મારી જિંદગી હતી ને સામે આગ હતી : અગ્નિકાંડના 22 માસૂમો માંથી એક મીત સંઘાણી

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં.. જો એ દિવસે હું મહેસાણામાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગયો હોત તો ચેમ્પિયન બનીને પાછો આવ્યો હોત! છાપાંમાં મારો ફોટો તો છપાત પણ એની […]

નાની બાળકીના મોંમા આવું કાળું નિશાન જોઈને ડરી ગઈ મા, ડોક્ટરે તપાસ કરતાં ખબર પડી કે…

માતા-પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતાં હોય છે અને તેઓ તેમને સહેજ પણ તકલીફમાં જોઈ શકતા નથી. જો બાળકને કંઈ થઈ જાય તો માતાનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. આવું જ કંઈક બન્યું એક દીકરીની માતા સાથે. એક માતા પોતાની દીકરીની નાની હરકતના કારણે એટલી પરેશાન થઈ ગઈ કે જાણીને તમને થોડું અજીબ લાગશે […]

અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોના વાલીઓએ કમિશનર પાસે અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી અને મુખ્યમંત્રીને પણ લખ્યો પત્ર

24મી મેના રોજ સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. ગોજારી આગમાં 22 માસૂમ બાળકોના મોત થયા હતાં. આ દુર્ઘટના બાદ તપાસ ધીમી ચાલતી હોય અને જવાબદાર અધિકારીઓની ધરપકડ ન થઈ હોવાના રોષ સાથે મૃતકના વાલીઓ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતાં. વાલીઓએ કમિશનર સમક્ષ દુર્ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં તાત્કાલિક ભરવામાં […]

નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા 130થી વધુ સ્કુલોમાં સેવાની જ્યોત પ્રજ્વલિત કરનાર નીપાબેન કમલભાઈ પટેલ

એક ભણેલી અને સંસ્કારી સ્ત્રી સુંદર કુટુંબ અને સમાજ ના ઘડતર અને સ્થાપના નો પાયો છે. Nivedita foundation નો જન્મ આવા જ કાેઇ વિચાર સાથે થયો છે. મને અને મારા કુટુંબ ને જુદા જુદા દેશોની સફર અનૈ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાનો અવાર નવાર અવસર પ્રાપ્ત થાય છે. સફર દરમ્યાન નવરાશ ની પળાેમા આપણા દેશ અને […]