ભારત માટે ઐતિહાસિક ક્ષણ: ચંદ્રયાન-2નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું, 17 મિનિટ બાદ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું
ચંદ્રયાન-2 આજે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને સ્થિતિ સામાન્ય છે. આ પહેલાં ઈસરોએ શનિવારે ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કર્યું હતું.ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2:51 થવાનું હતું જે ટેકનિકલ ખરાબીને કારણે રદ કરાયું હતું. ઈસરોએ એક […]