જેણે પણ આ દૃશ્ય જોયું તે થય ગયા ભાવુક, મૃત મદનિયાને સૂંઢમાં લઈને હાથીઓએ કાઢી તેની સ્મશાનયાત્રા

સામાન્ય રીતે તો એવી માન્યતા છે કે મરેલા પાછળ શોક માણસો જ મનાવે પણ વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ સ્વીકારશો કેહાથીને પણ પોતાનાઓના મોત પર દુ:ખ થાય છે. ટ્વિટર પર પ્રવિણ કાસવાન નામના એક ફોરેસ્ટ ઓફિસરે આ ઈમોશનલ વીડિયો અપલોડ કર્યો હતો.

હૃદયસ્પર્શી વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે આ દૃશ્ય તમારા દિલને સ્પર્શી જશે. હાથીઓના ટોળાએ મદનિયાના મોત બાદ સ્મશાનયાત્રા પણ નીકાળી હતી. આ પરિવાર તેમના સંતાનને એકલું છોડવા નથી માગતો. આ લાગણીસભર વીડિયોમાં પણ જોઈ શકાય છે કે રોડના કિનારે મદનિયાને મૂકીને હાથી ઉભો રહી જાય છે. આ હાથી રાહ જોઈ રહ્યો છે તેના અન્ય સભ્યોની. બધા જ ત્યાં આવી જતાં તેઓ ફરી તે મદનિયાના મૃતદેહને લઈને જંગલમાં ઓઝલ થઈ જાય છે. જોતજોતામાં જ આ વીડિયો વાઈરલ થયો હતો જેમાં યૂઝર્સે પણ કોમેન્ટ્સના માધ્યમથી કહ્યું હતું કે આ અબોલ જીવનો પ્રેમ જોઈને માણસોમાં જ મરવા પડેલી માણસાઈ જીવંત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

વીડિયોમાં જોઈ શકો છો કે એક હાથી મૃત બચ્ચાને લઈને આગળ ચાલે છે અને લગભગ 8 હાથી પાછળથી તેની સાથે જોડાય છે. આ વીડિયોને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર પરવીન કસવાને શેર કર્યો છે. જો કે, આ ઘટના ક્યાંની છે તે ઓફિસરે સ્પષ્ટ કર્યું નથી. એ પણ જાણ નથી થઈ કે હાથીના બચ્ચાનું મોત કેવી રીતે થયું. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ વીડિયોને લઈને ભાવુક જોવા મળ્યા. ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું કે, હાથી સ્વભાવે ભાવુક હોય છે. ત્યારે IFS પરવીને કહ્યું, “હાથી ઘણી બાબતે માણસો જેવા હોય છે. હાથીના બચ્ચા પાણીની આસપાસ રમે છે અને તેઓની યાદશક્તિ પણ સારી હોય છે. હાથી જે રસ્તે અવરજવર કરે છે તે ભૂલતા નથી.”

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો