Browsing category

સમાચાર

રાજસ્થાનના અજમેરમાં જાહેર- ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર પર પ્રતિબંધ, એક મહિના માટે કલમ 144 લાગુ કરી

રાજસ્થાનના અજમેરમાં જાહેર- ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર પર પ્રતિબંધ, એક મહિના માટે કલમ 144 લાગુ કરી

રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં (Ajmer) જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. Rajasthan | To curb […]

હર્ષ સંઘવીએ પોલીસને કહ્યું, નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે

હર્ષ સંઘવીએ પોલીસને કહ્યું, નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી છે. તેમજ નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે તેવું ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. તેમજ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલાં ભરીશ તેવું જણાવ્યું છે. તથા કોઈને હેરાન કરવામાં આવશે તો કાર્યવાહી કરીશ તેમ પણ જણાવ્યું છે. નાગરિકો સાથે […]

પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે.. Board Examમાં નાપાસ થવાના ભયથી જીવન ટુંકાવ્યું

પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે.. Board Examમાં નાપાસ થવાના ભયથી જીવન ટુંકાવ્યું

ગુજરાતમાં હાલ ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રયાસ કર્યા વગર જ પરીક્ષાના ભયથી નાસીપાસ થઈ જતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. પરીક્ષા તો દર વર્ષે આવશે પણ તમારૂ જીવન એકવાર જશે તો પરત નહીં આવે પણ માસૂમ વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયના ઓથારમાં આ વાત […]

ગાંધીનગરમાં AAPએ કર્યો વિરોધ: શિક્ષણને મંત્રીની નહીં, મંત્રીને શિક્ષણની જરૂર છે

ગાંધીનગરમાં AAPએ કર્યો વિરોધ: શિક્ષણને મંત્રીની નહીં, મંત્રીને શિક્ષણની જરૂર છે

આજના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ બાબતે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમને નિવેદન આપ્યું હતું કે, જેમને શિક્ષણ સારું લાગતું ન હોય તેમને જે રાજ્ય કે દેશનો શિક્ષણ ગમતું હોય ત્યાં જતા રહેવું જોઈએ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના આ પ્રકારના નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે. તો બીજી […]

જામનગરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો, શહેરના માર્ગો પર રખડતાં ઢોરના રૂપમાં મોત ઘૂમી રહ્યું છે

જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. પરંતુ મહાપાલિકાને લોકોના જીવોની પડી નથી તેમ વધુ એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે જેમાં પોતાની પત્ની સાથે જઈ રહેલા વૃદ્ધને ખુંટિયાએ હડફેટે લેતા બંને દંપતિ ઘવાયા હતા જેમાં વૃદ્ધનું લાંબા સારવાર બાદ મૃત્યુ થયું […]

ઈસુદાન ગઢવીએ કહ્યું- જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતાઓની છે

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જીતુ વાઘાણીએ ગઈ કાલે કરેલા નિવેદનને લઈને ફરી આકરા પ્રહારો તેમના પર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જીતુ વઘાણી કે જે શિક્ષણ મંત્રી છે તેમને નિવેદન ગઈ કાલે આપ્યું છે. શિક્ષણની સુવિધા નથી, શાળાઓ સારી નથી. આનાથી સારું શિક્ષણ જોઈતું હોય તો ગુજરાત બહાર કે દેશ બહાર ભાગો. […]

૫શુ લાયસન્સના કાળા કાયદાનો વિરોધ: ગાયના પુંછડે સત્તા મેળવનાર સરકાર ગાયને જ ભુલી ગઈ: પશુપાલકો

તાજેતરમાં રાજય સરકારે શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે લાયસન્સ લેવુ પડશે તેવો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. સરકારના કાયદાના વિરોધમાં જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ તા. 6ને બુધવારે એકઠા થયા હતા. અને કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરીમાં લેખીત રજુઆત કરી આ કાળા કાયદાને દુર કરવા માંગ કરી હતી. ગુજરાતના શહેરી વિસ્તારોમાં રસ્તાઓ અને જાહેર સ્થળો […]

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ: જામનગર રોડ પર ખુલ્લા મેદાનમાં યુવક એક્ટિવાની ડેકી ભરી કોથળીઓ વેચતો નજરે પડ્યો

એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં રાજકોટના જામનગર રોડ પર ખુલ્લા મેદાનમાં એક્ટિવાની ડેકીમાં દેશી દારૂ ભરી એક યુવાન વેચાણ કરી રહ્યો હોવાનું નજરે પડે છે. પોલીસના ડર વગર યુવાન દેશી દારૂ વેચતો નજરે પડ્યો રાજકોટ […]

અમદાવાદની ધ્વની પટેલે અમેરિકાના ફ્લોરિડાની ફ્લાયર્સ ફ્લાઈટ એકેડમીમાંથી માત્ર 20 વર્ષની નાની વયે કોમર્શિયલ પાઈલટ બનવાનુ ગૌરવ મેળવ્યું

અમદાવાદના ધાકડી ગામના વતની હાલમાં ઘાટલોડિયાની ન્યુ સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા જિતુભાઈ પટેલની પુત્રી ધ્વનિ પટેલ માત્ર દોઢ વર્ષની વયે પોતાની માતા દિપિકા બેનની છત્રછાયા ગુમાવી દીધી હતી. તે સમયે તેમના પિતા જિતુભાઈએ ધ્વનિ અને તેની મોટી બહેનની ઉજ્જવળ કારકિર્દીનુ ઘડતર થાય તે માટે પોતાના વ્યક્તિગત શોખ અને અરમાનોને કોરાણે મૂકી દીધા. થોડાક વર્ષો પહેલા વિશ્વ […]

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું- ‘જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે’

રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતી વખતે જિતુ વાઘાણીનો હીટવેવમાં પારો છટક્યો હતો અને જણાવ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને […]