ઉત્તર પ્રદેશ: લખનઉથી દિલ્હી જતી બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોના ગંભીર રીતે ઘાયલ થયા છે.

બચાવ કામગીરી ચાલુ

મળતી માહિતી પ્રમાણે અવધ ડેપોની બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે યમુના એક્સપ્રેસ હાઉવે પાસે એક નાળામાં ખાબકી હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. જેમાંથી29 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મૃતકોના પરિવારને 5 લાખની સહાય

સીએમ યોગી આદિત્યનાથે યાત્રીઓના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય કરવામાં આવશે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો